શરીરની તંદુરસ્તી માટે દાંત તંદુરસ્ત હોવા જરૂરી છે, મોંઢું એ શરીરનું પ્રવેશદ્વાર છે, જો મોંમાં જ રોગનું ઘર હોય તો, આખું શરીર કઈ રીતે તંદુરસ્ત રહી શકે. દાંત અને પેઢાના રોગ થાય અને પછી સારવાર કરાવો, તેના કરતા તેની પહેલેથી જ એવી રીતે વ્યવસ્થિત સંભાળ લેવી જોઈએ જેથી રોગ શરૂ જ ન થાય. અંગ્રજીમાં એક કહેવત છે. “પ્રિવેન્શન ઇઝ બેટર ઘેન કયોર” એટલે કે “સારવાર કરતા સંભાળ સારી”. ચાણકયનીતિ મુજબ “રોગ અને દુશ્મનને તો ઉગતો જ ડામવો”.
અહી આપ દાંતના રોગો, તેના લક્ષણો, કારણો, તેની શક્ય સારવાર અને રોગને અટકાવવાની જાણકારી સરળ રીતે ગુજરાતીમાં
મેળવી શકશો.