મોઢામાં ચાંદા પડવા આમ જો તો ખૂબ જ સામાન્ય બીમારી છે, પણ શરૂઆતમાં દિવસોમાં તેની પીડા જમતી વખતે તેમજ બોલતી વખતે ખૂબ જ હેરાન કરી શકે છે. ચાંદા માટે એક વાત બહુ જ સારી એ છે કે મોટે ભાગે તે ૭ થી ૧૪ દિવસમાં મટી જ જાય છે. પણ પીડાદાયક દિવસો દરમિયાન શું કરવું. ચાલો જાણીએ.
ચાંદા પડવાના કારણો
- મોઢામાં ચાંદા પડવાના ઘણા બધા કારણો હોય શકે છે, મુખ્ય કારણો જોઈએ તો, કોઈ પણ પ્રકારની ઇજા, જેમ કે કોઈ અણીદાર ખાવાની વસ્તુથી ઇજા,
- એકદમ ગરમ વસ્તુથી દાઝી જવું,
- કોઈ કેમિકલથી દાઝી જવું જેમ કે પાનમાં એકદમ તેજ ચૂનો
- કોઈ કારણોસર શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય તો પણ ચાંદા પડી શકે છે
- કબજિયાત, પાંડુરોગ, માનસિક તણાવ જેવી તકલીફોને કારણે વારંવાર ચાંદા પડી શકે
- ઢીલા ચોકઠાથી ચાંદા પડી શકે
મોઢામાં ચાંદા પડે તો શું કરવું
- ખાટું તેમજ તીખું ખાવાનું ટાળવું
- ચાંદાને બ્રશથી કે ચમચીથી અડવાનું ટાળો.
- મેડિકલ સ્ટોર્સ પરથી મળતી ચાંદાને ખોટું કરવાની ક્રીમ વાપરી શકાય જેમ કે Dentogel
- મીઠાવાળા પાણીથી કોગળા કરી શકાય. મીઠું કુદરતી રીતે એન્ટિસેપ્ટિક તરીકે કામ કરે છે.
- દાંત પર બ્રશ હળવા હાથે કરવું. ચાંદા પડ્યા છે, એટલે બ્રશ કરવાનું ટાળવું નહીં.
ડૉક્ટરને કયારે મળવું જોઈએ
મોટે ભાગે ચાંદા ૭ થી ૧૪ દિવસમાં મટી જ જાય છે. તેમ છતાં નીચેની પરીસ્થિતિમાં નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
- ચાંદા ૩ અઠવાડિયા પછી પણ ના મટે.
- ચાંદા ની સાથે સાથે તાવ આવતો હોય અને અસહ્ય પીડા થતી હોય.
- ચાંદા આખા મોઢામાં ફેલાઈ ગયા હોય.
- પ્રવાહી પીવામાં પણ તકલીફ થતી હોય
- ખૂબ જ મોટી સાઇઝનું ચાંદું પડ્યું હોય
- ૧ મહિનાથી ચાંદું પડ્યું હોય, મટતું ન હોય અને એમાં કોઈ પણ જાતનો દુખાવો ન થતો તો નિષ્ણાત ડૉક્ટરને બતાવવું જોઈએ, તે કેન્સર હોય શકે છે.